BB + SWATI PAREKH . 60 3 ગૃહિણી અને ગૃહવ્યવસ્થા 3પાન નં 19 0 વ્યવસાય કરતી ગૃહિણી કુટુંબમાં પાયાનું શ્રમવિભાજન થયેલું હોય છે . પુરુષ આજીવિકા માટે મહેનત કરે છે . સ્ત્રી ગૃહકાર્ય અને સંતાન ઉછેરની જવાબદારી સ્વીકારે છે . દરેક સમાજમાં અને લગભગ દરેક કાળે આ શ્રમવિભાજન જોવા મળે છે . પણ હવે આ મોંઘવારીના જમાનામાં ગરીબ અને મધ્યમ વર્ગની સ્ત્રીઓ પણ આર્થિક જવાબદારી ઉપાડવા લાગી છે . મૂલ્યવધારાના પ્રમાણમાં કૌટુમ્બિક આવક વધી નથી , પણ કુટુંબીજનોની માંગ વધી ગઈ છે . આથી આદુનિક જમાનામાં આર્થિક ક્ષેત્રમાં પણ સ્ત્રીઓએ પગપેંસારો કરવા માંડ્યો છે , કેળવાયેલી સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર બની છે અને પોતાની જરૂરિયાત પોતે જાતે પૂરી કરે છે . આનો અર્થ એમ નથી કે પહેલાના સમયમાં સ્ત્રી ફક્્ત ગૃહકાર્ય અને સંતાનના ઉછેરનું જ કામ કરતી હતી . એ સમયે પણ સ્ત્રી આજીવિકા મેળવવાના કાર્યમાં તો પુરુષને મદદરૂપ બનતી જ હતી . સ્ત્રી પુરુષને શિકાર મેળવવામાં , માછલાં પકડવામાં કે પશુઓની સારસંભાળ લેવામાં સ્ત્રીઓ જ વધુ કામ કરતી . ખેતીકામમાં પણ સ્ત્રી પોતાના ઘરનું , છોકરાંઓનું કામ પતાવી પુરુષ માટે રોટલા ઘડી ખેતરે ભાતું લઈ જતી અને ત્યાં પુરુષને ખેતરમાં કામમાં મદદ કરતી . કારીગર સમૂહમાં પણ સ્ત્રી અનેક રીતે પતિને વ્યવસાયમાં મદદકર્તા નિવડી છે . આધુનિક સમયમાં કેળવણીએ સ્ત્રીમાં હિંમત પ્રેરી છે . તે વધુ જાગ્રત અને સભાન બની છે . સ્ત્રીઓમાં સુષુપ્ત રહેલી શક્્તિઓને કેળવણીએ જગાડી છે . પુરુષ પરનું અવલંબન ઓછું કરવા જાણે સ્ત્રીએ કમર કસી છે . તે માને છે કે તેણે આર્થિક સ્વાતંત્ર્ય મેળવવું જ રહ્યું . વળી , આર્થિક સ્વાતંત્ર્ય સ્ત્રીનો કરજ્જો સમાજમાં અને કુટુંબમાં ઊંચો આણવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે . 3પાન નં 20 નીચલા વર્ગની સ્ત્રીઓ તો આર્થિક ભીંસને પરિણામે મજૂરી કરતી જ હતી . ખેતરમાં , લારી ખેંચવામાં , બાગબગીચામાં કે કારખાનાઓમાં બાંધકામો ચાલતા હોય ત્યાં આ બધી સ્ત્રીઓ વેતનવ્યવસાય કરતી જ હોય છે . માત્ર એક જ વ્યક્્તિની આવક ઉપર આકા કુટુંબનો જીવનનિર્વાહ ચલાવવાનું મુશ્કેલ બને છે . હવે તો મધ્યમવર્ગની બહેનોએ પણ આવકજાવકના બે છોડા ભેગા કરવા માટે વ્યવસાય ક્ષેત્રે કદમ માંડ્યા છે . ઔદ્યોગીકરણને પરિણામે વ્યાપાર ઉદ્યોગ પણ વિકસ્યા છે . સ્ત્રીઓ માટે વ્યવસાય મેળવવાની તક પણ વધી છે . અનેક વ્યવસાયમાં સ્ત્રીઓની જરૂર પડવા માંડી છે . બંધારણ અને કાયદાએ સ્ત્રીને વ્યવસાયની સમાન તક પૂરી પાડી છે . સ્ત્રીઓએ ખેતી , ઉદ્યોગ , વ્યાપાર , ખાણો , બગીચા , કળા , સાહિત્ય , પત્રકારિત્વ , સંદેશાવ્યવહાર તેમ જ શિક્ષણ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે ( જો કે આ બધા ક્ષેત્રોમાં સ્ત્રી માત્ર આર્થિક જરૂરિયાતને લીધે જ પ્રવેશે છે એમ નથી . કેળવણી મેળવ્યા બાદ વ્યક્્તિત્વના વિકાસ માટે પણ સ્ત્રીએ પ્રવૃત્તિ આઆદરી છે . ) સ્ત્રી અને પુરુષ બંને જો સાથે નોકરી કરતા હોય તો સામાન્ય રીતે એ એવું બને છે કે પુરુષ ઘરકામમાં સ્ત્રીને કાંઈ મદદ કરતો નથી . બાળકો પ્રત્યે પણ તેને મોટા ભાગની કાંઈ જવાબદારી હોતી નથી . સ્ત્રી કામ પરથી થાકેલી , પાકેલી આવીને પણ ઘરમાં રસોઈ કરે છે , બાળકોની સંભાળ લે છે અને જો ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય તો તેની પણ મહેમાનગતિ કરે છે એટલે સ્ત્રીને માથે કામનો બોજો વધી જાય છે . અતિ થાકને લીધે તે કાં તો કંટાળી જાય છે કે પછી માંદી પડે છે અને પોતાનું સ્વાસ્થ્ય ગુમાવે છે . સ્ત્રીને કુટુંબને સહાય કરવા માટે આ4તિક જવાબદારી ઉપાડવી પડે છે . તેના શિરે ત્રણ જાતની જવાબદારીઓ આવી પડે છે . એક તો કમાવવાની , બીજી ઘર સંભાળવાની અને ત્રીજી બાળકો અને મહેમાનોની સંભાળ રાખવાની . સ્ત્રીની શારિરીક શક્્તિ જોતાં આ ત્રણે જવાબદારીઓ એક સાથે તે સારી રીતે ન બજાવી શકે એ સંભવિત છે . જો કમાવા પર વધુ લક્ષ આપે છે તો ઘર અને છોકરાં તરફ દુર્લક્ષ સેવાય અથવા જો તે છોકરાં અને ઘર તરફ વધુ ધ્યાન આપે તો પોતાની નોકરી બરાબર કાર્યદક્ષતાથી ન કરી શકે , કારણ કે સ્ત્રીનું નાજુક શરીર જોતાં તે ત્રણે જવાબ - દારીઓ સંપૂર્ણ રીતે બજાવી ન શકે એ ચોક્કસ વાત છે . પણ સ્ત્રીનો આર્થિક ક્ષેત્રે પ્રવેશ જેમ જેમ વ્યાપક બનતો ગયો તેમ તેમ સમાજમાં એવા પણ સમાજવિચારકોનો એક વર્ગ ઊભો થતો ગયો કે જે 3પાન નં 21 સ્ત્રીનું ગર બહાર કામ કરવા જવું , એનો જોરશોરથી વિરોધ કરે છે . તે લોકોનો પ્રશ્ન એ છે કે સ્ત્રીઓનું આ વધારાનું કાર્ય સ્ત્રીના મૂળભૂત કૌટુંબિક કાર્યના ભોગે તો નથી થતું ને ? ગૃહકાર્ય અને બાળસંભાળમાં ઊણપ તો નથી આતી ને ? આ પ્રશ્ન આદે મહત્ત્વની ચર્ચાનો વિષય બન્યો છે . ઘણા એમ માને છે કે આર્થિક સ્વાતંત્ર્યતા મેળવવા જતાં સ્ત્રી પોતાનું કુટુંબસુખ ગુમાવી રહી છે . ગૃહકાર્ય અને દ્રવ્યપાર્જન પ્રવૃત્તિ આ બન્નેમાં સ્ત્રીનું અંગત જીવન સહન કરે છે . આ વસ્તુ અંશતઃ સત્ય તો છે જ . રૂઢિચુસ્ત લોકો માને છે કે મોટા ભાગની સ્ત્રીઓ બહાનું આર્થિક બતાવે છે પણ ખોખ ખાતર , મોજશોખ માટે , ગૃહજવાબદારમાંથી છૂટવા માટે નોકરી કરે છે . આમ , કામ કરતી સ્ત્રી આર્થિક રીતે સ્વતંત્ર બનીને પછી લગ્નથી દૂર ભાગશે . લગ્ન એને વળગાડ કે પગમાં બેડી કે સાંકળ જેવું બંધનકર્તા લાગશે . પરિણીત અને કામ કરતી સ્ત્રીઓ પોતાની કમાણીને લીધે પુરુષોને દબાવવાનો પ્રયત્ન કરશે . સ્ત્રીઓ સ્વચ્છંદી બનશે . નીતિમત્તાનાં ધોરણો નીચાં ઉતરશે એમાંથી છૂટાછેડાનો પ્રશ્ન જલદ બનશે . સી . એ . હેટના અભ્યાસ દ્વારા જણાવી શકાય કે ભારતમાં મોટા ભાગની સ્ત્રીઓ શોખ , તરંગ કે સ્વતંત્ર્યતા ખાતર વ્યવસાયમાં જોડાતી નથી પણ પોતાના કુટુંબને માટે પોતાના સુખને ભોગે , પોતાની જવાબદારી સમજીને વ્યવસાયમાં જંપલાવે છે . મોંઘવારીની ભીષણતા સામેના સંગ્રામમાં ગૃહણી પોતાના કુટુંબની વહારે ધાય છે . બારત માટે એક વિશિષ્ટ નોંધ એ છે કે વ્યવસાય કરતી સ્ત્રીઓને પુરુષ તરફથી જોઈએ તેટલો સહકાર હજુ મળતો નથી . વળી , અત્યંત યાંત્રિક સુવિધા ઓ હોવાથી સ્ત્રીઓ માટે બંન્ને મોરચે ઝઝુમવું ખૂબ મુશ્કેલ બને છે . તેની અસર તેના સ્વાસ્થ્ય ઉપર પડે છે . સ્ત્રીઓ જે વદારાની શક઼્તિ ખર્ચે છે તેને માટે વધુ પૌષ્ટિક આહાર મળવો જોઈએ જે તેમને દુર્લભ હોય છે . જો સ્ત્રીને આર્થિક મુશ્કેલીને કારણે બહાર કામ કરવા જવું પડે તો પુરુષે પણ સ્ત્રીને ઘરકામમાં મદદ કરવામાં શરમ કે સંકોચ અનુભવવા ન જોઈએ . સ્ત્રી એને આર્થિક રીતે મદદ કરે તો એણે પણ સમય અનુસલાર ગૃહકાર્યમાં મદદ કરવી જ જોઈએ . આજે અમેરિકામાં ઘણા યુવાન દંપતિઓ કમાવા સાથે બહાર જાય છે અને ઘેર પાછા આવીને પતિપત્નીને વાસણ સાફ કરવા , બાળકોને મદદ 3પાન નં 22 કરવામાં તેમ જ ઘરની સાફસૂફીમાં કે રસોઈ કરવામાં ખુશીથી મદદ કરે છે . તે યુવાન પતિને ઘરકામ પ્રત્યે સૂગ આવતી નથી કે તેને ઘરનું કામકાજ કરવામાં કોઈપણ જાતની નાનમ લાગતી નથી . ગૃહકામ એટલે સ્ત્રીનું કામ એવી ભાવના તેનામાં રહી નથી . ઉલટું તેને સાંજના પોતાની પત્ની સાથે કામ કરતાં આનંદ આવે છે . શ્રીમતી નીરા દેસાઈ માને છે કે " કામ કરવાનો હક્ક એ તો સ્ત્રીનો મૂળભૂત હક્ક છે . સ્ત્રીને તેનાં વ્યક઼્તિત્વનો વિકાસ કરવાનો હક્ક છે , ઘરની ચાર દિવાલની બહાર જઈ સંકૂચિતતા દૂર કરવાનો હક્ક છે . આને માટે સૈદ્ધાં - તિક વિરોધ કરીને અંતરાયો મૂકવા કરતાં સમાજની ફરજ છે કે વ્યવસાય કરતી સ્ત્રીઓ વ્યવસાયમાં જોડાય તે જોવું જરૂરી છે . ઘણે ઠેકાણે એમ પણ બને છે કે સ્ત્રીને માતા તરીકેની ફરજો અને વ્યવ - સાયની જવાબદારીઓ વચ્ચે સુખદ સમન્વય સાધવો મુશ્કેલ બને છે , વ્યવસાયની જવાબદારીઓ સાંભળવા જતાં તેને પ્રેમાળ પત્ની અને મમતાભરી માતાનાં કાર્યોમાંથી વિમુખ થવું પડે છે . તે ઘરે પાછી ફરે ત્યારે કંટાળેલી અને થાકી ગયેલી હોવાથી ગૃહણી અને માતા તરીકેની ફરજો તરફ ઉદાસીન બને છે . બાળકને તરછોડે છે અથવા તો ગુન્હાની લાગણી ( gilty conscious ) ને લઈને બાળકને નકામાં લાડ કરે છે . રાતની રસોઈ કરી કુટુંબને જમાડી તે અત્યંત થાકી જાય છે અને જેને good for nothing કહે છે . તેવી તેની હાલત થઈ જાય છે તો પછી સંસ્કૃતમાં નારીનાં લક્ષણો માટે જે શ્લોક આપ્યો છે તે અનુસાર " શયનેષુ રંભા " તો તે ભાગ્યે જ બની શકે છે . સ્વ . ડ . લીલાબહેન શાહના માનવા પ્રમાણે સ્ત્રી પોતાની કોમળતા અને સૌંદર્ય છોડીને નકાની પુરુષ સમોવડી બનવા જાય છે . પરમેશ્વર તો તેને દુનિયાનું ઉત્તમમાં ઉત્તમ કાર્ય સર્જકનું આપ્યું છે . તેણે સ્ત્રીના શરીરની રચના જ એવી કરી છે કે સ્ત્રી બાળકને ઉદરમાં રાખી શકે , પોષી શકે ને જન્મ આપી 3પાન નં 23 શકે . તેનો સ્વભાવ પણ એટલે જ દયાળુ અને માયાળુ બનાવ્યો છે . પરમેશ્વરે સ્ત્રીને ગૌરવ અને મહત્તા આપ્યાં છે , પરંતુ આજના જમાનાની સ્ત્રી આર્થિક સમાનતા સાધવામાં પોતાનું ગોરવ અને પ્રતિષ્ઠા ઘટાડે છે . સ્ત્રી અને પુરુષ એકબીજાનાં હરીફ નથી પણ પૂરક છે . ઘણા એમ પણ માને છે કે સ્ત્રી વ્યવસાય કરવા જાય છે તેથી આપણા ગરીબ દેશમાં પુરુષની કામ કરવાની તક ઝૂંટવાઈ જાય છે . દેશમાં સ્ત્રીઓ પુરુષોને ભોગે કામ કરે છે . આ પ્રશ્નને ` વહીવટી પુનર્રચના પંચે ' તપાસ્યો છે તેનાં તારણ પ્રમાણે બેકારી નિવારવા માટે જે સરકારી વિભાગોમાં પતિપત્ની સાથે નોકરી કરતાં હોય તેમાંથી ગમે તે એકને છૂટા કરવા જોઈએ . આનો સ્વીકાર થશે કે કેમ ? પણ આ પ્રશ્ને જરૂર બધાનું ધ્યાન તો દોર્યું જ છે . ઉપરાંત બાળકને સાચવવાના પ્રશ્નો પણ ઘણા ઊભા થાય છે . ગૃહણી વ્યવસાય કરવા જતી હોય તો તેનાં નાનાં બાળકને સાચવવા માટે બાઈ રાખવી પડે છે . બાઈના આશે આખો દિવસ બાળકને મૂકીને તે કામ કરવા જાય છે . બાળકને માતાનાં સનિધ્યમાં જે સંસ્કારનું સિંચન થાય છે તે કદાપિ બાઈ આપી શકતી નથી . આમ , આ બધું જોતાં એમ કહી શકાય કે સ્ત્રી પોતાનો વિકાસ સાધવા વ્યવસાય જરૂર કરે પણ એને કારણે જો બાળકનો વિકાસ રૂંધાય તેણે કદાપિ ચલાવી લેવું ન જોઈએ . - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 3પાન નં 45 3પ્રકરણ - 8 3આવશ્યક સાધન પ્રાપ્તિની સુગમતા બીજી બધી વ્યવસ્થાઓની જેમ ગૃહની વ્યવસ્થામાં કાર્યની સાથે સાથે આવશ્યક સાધન પ્રાપ્તિની સુગમતાની જરૂર છે . આ આવશ્યક સાધનો બે પ્રકારનમાં છે : 1 . માનવીય સાધનો ( Human Resources ) 2 . ભોતિક સાધનો ( Non - Human Resources ) માનવીય સાધનો ( Human Resources ) : માનવીય સાધનોમાં કુટુંબના સભ્યોનો સમય , શક઼્તિ , ચતુરાઈ , રસ જ્ઞાન , ચપળતા અને વલણ આવી જાય છે . સમય અને શક઼્તિ એટલે કુટુંબના સભ્યોનું જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા માટેનું બળ , સ્વભાગત અને મેળવેલી બંન્ને પ્રકારની ચતુરાઈ અથવા ચપળતા , ઘરનાં કોઈ પણ કાર્ય માટેનો રસ , ગને સુંદર , વ્યવસ્થિત રીતે ચલાવવા માટે તે વિષેનું જ્ઞાન , તથા કુટુંબનાં સભ્યોનું જુદી જુદી બાબતો વિષેનું વલણ આ બધાં માનવીય સાધનો છે . આ પ્રકારનાં સાધનોમાં જ્ઞાતિ તેમ જ રાજ્ય જે સુવિધાઓ આપે છે જેવી કે હોસ્પિટલ , તંદુરસ્તી અને આરોગ્ય , કેળવણી , સમાજકલ્યાણ અને ધાર્મિક માર્ગદર્શન આવી જાય છે . આ બધા જ માનવીય સાધનોમાં સમય અને શક઼્તિ આગળ ઉપર ચર્ચીશું . જ્યારે કુટુંબના સભ્યોની ચતુરાઈ , રસ , જ્ઞાન , ચપળતા અને વલણ બાકી રહેલાં માનવીય સાધનો છે . માનવીય સાધન સુગમ કરવા માટે વ્યક઼્તિઓનું માનસ ઘડતર જરૂરી હોય છે . કુટુંબના સભ્યોના વલમમાં ફેરફાર લાવવો એ ખૂબ મહત્ત્વનું છે . જે તેમને સુધાપવામાં મદદ કરે છે . દા . ત . , સીઝનમાં સસ્તાં અને સારાં 3પાન નં 46 શાકભાજી ખાવાં જોઈએ . મોટે ભાગે ભારતમાં અમુક કુટુંબો ગાજર કે ટામેટાં સીઝનમાં સસ્તાં હોય છે પણ ખાતા નથી . તો તેમના આ વલણમાં સમજાવટ - થી ફેરફાર લાવી શકાય છે કે બધાં શાકભાજી પૌષ્ટિક છે અને તેમાં ખૂબ જ વિટામીન્સ રહેલાં છે વિગેરે . આમ સભ્યોના વલણમાં ફેફાર લાવવાથી તેઓ સુધરી શકે છે . ઘણાં ભારતીય કુટુંબોમાં હજુ પણ પહેલાનાં ચાલી આવતાં વલણો જોવા મળે છે . જે વ્યાવહારિક જ્ઞાન અને યોગ્ય સમજાવટથી દૂર કરી શકાય છે . કોઈપણ વ્યક઼્તિ કકે સમાજને તેમના વલણમાં ફેરફાર કરાવવાથી જ સુધારી શકાય છે . કુટુંબના જુદા જુદા સભ્યોના રસો વિવિધ પ્રકારના હોય છે ; જેમ કે છોકરીને રસોઈ અને શિવણમાં રસ હોય છે , જ્યારે પતિ અને છોકરાંઓને ગાર્ડનિંગમાં રસ હોય છે . કુટુંબના સભ્યોના આવા ઉપયોગી રસોનો વિકાસ થવા જોઈએ અને તે કુટુંબને લાભકર્તા નીવડે તે રીતે તેનો ુપયોગ થવો જોઈએ . જો આવા રસોને ગૃહણી યોગ્ય સમયે ન વિકસાવે તો તે મરી જાય છે અને ફરી સર્જાઈ શકતા નથી . કુટુંબના સભ્યોનાં બીજા માનવીયસાધનો જેવાં કે ચતુરાઈ , જ્ઞાન . ચપળતા , સહકતાર વિગેરેનો ઉપયોગ ઘરની વ્યવસ્થા કરવા માટે થવો જોઈએ . આ બધાં જ માનવીય સાધનો કુટુંબના લાંબા તેમ જ ટૂંકા ગાળાના ધ્યેયને પહોંચી વળવામાં મદદ કરે છે . ભૌતિક સાધનો ( Non - Human Resources ) : ભૌતિક સાધનોમાં કુટુંબ ન ફરી શકે તેવી મિલકત જેવી કે કૌટુમ્બિક આવક , ઘરેણાં , મોટર , સ્કુટર , ફરનીશિંગ વિગેરે આવી જાય છે . આ સાધનોમાં કુટુંબ પાસે જે છે તે તેમ જ જ્ઞાતિ કે રાજ્ય પાસે છે તે બધું જ આવી જાય છે . જ્ઞાતિ કે રાજ્યનું સૌથી મોટામાં મોટું ભૌતિક સાધન એ છે કે જેનો કુટુંબ ખૂબ જ ઉપયોગ કરે છે તે હોસ્પિટલ , પાણીની વ્યવસ્થા , વિદ્યુતની વ્યવસ્થા , સ્કૂલ અને કોલેજો , સાર્વજનિક લાયબ્રેરી , ગાર્ડન , રમતનાં મેદાનો , બજાર મોજશોખની જગ્યાઓ , ધાર્મિક સંસ્થાઓ અને જ્ઞાતિસંસ્થાઓ છે . કુટુંબ આ બધાં જ ભૌતિક સાધનોનો ઉપયોગ કરે છે અને તેના વગર તે સામાન્ય રીતે કાર્ય કરી શકતો નથી . એટલા માટે જ બધા જ સાધનોની સુગમતા કૌટુમ્બિક ભૌતિક સાધનોમાં આવી જાય છે . 3પાન નં 47 ઉપર જણાવેલ સાધનમાં કેટલાક સાધનો માનવીય અને ભૌતિક એમ ઊભય પ્રકારનાં હોય છે . દા . ત . , કોઈ ગૃહણી ઘરનું બધું જ કાર્ય જાતે ન કરી શકે તો ઘરનું કામ કરવા માટે નોકર રાખે છે . અહીં તે તેના પૈસાનો વિનિમય કરીને નોકરની શક઼્તિ વાપરે છે આધુનિક જમાનામાં ગૃહણીની શક઼્તિ થોડી અથવા સંપૂર્ણ મ્યુનિસિપલ સુવિધાઓને કારણે બચાવી શકાય છે . પાણીની વ્યવસ્થાની સુવિધાને કારણે ગૃહણીને ઘ બેઠાં નળમાંથી પાણી મળી શકે છે . જો જ્ઞાતિ આ સુવિધા ન આપે તો ગૃહણીને કૌટુમ્બિક જરૂરિયાત માટેનું પાણી કૂવામાંથી ભરી લાવવું પડે . આમ , તેઓની મોટા ભાગની શક઼્તિનો બચાવ થવાથી તો બીજાં કૌટુમ્બિક કાર્યો સારી રીતે સાધનો જરૂરી હોય છે તે જ રીતે ભૌતિક સાધનોની પ્રાપ્તિ માટે માનવી . ય સાધનોનો ઉપયોગ કરવો પડે છે . આ બધાં જ આવશ્યક સાધનો પ્રાપ્તિની સુગમતા પ્રમાણમાં મર્યાદિત છે . દરેક કુટુંબ અને વ્યક઼્તિગત રીતે તે પ્રમાણે અને જાતમાં બીજાં કુટુંબ અને વ્યક઼્તિ કરતાં જુદો પડે છે . દરેકને આ સાધનો જુદા જુદા પ્રમાણમાં અને મિશ્રણ સાથે કાર્ય કરવામાં હંમેશા ફરજ પાડે છે . આવકનો જથ્થો સમયે સમયે બદલતો રહે છે . આવા ઘરના સભ્યોની શક઼્તિ તંદુરસ્તીના ફેફારને કારણે બદલાય છે . * - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -